સમગ્ર ભારત દેશમાં આજના દિવસને વિજય દિન અથવા કારગિલ વિજય દિન તરીકે ઉજ્વવામાં આવે છે.૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે.
આજથી બરાબર 23 વર્ષ પહેલા કારગિલ યુદ્ધમાં (Kargil War) ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને (Pakistan Army) જડબાતોડ જવાબ આપ્યો હતો. 1999માં બંને દેશો વચ્ચે લડાયેલા યુદ્ધની જીતની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે
ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.
પહેલું એવુ યુદ્ધ જેમાં કોઈ દેશની સેનાએ અન્ય દેશની સેના પર આટલા બોમ્બ ફેંક્યા
ભારતના લશ્કરી કૌશલ્યની યાદ અપાવે છે અને સશસ્ત્ર દળો દ્વારા અપાયેલી મહાન બલિદાન જ્યારે રાષ્ટ્રને સલામત રાખે છે.અંદાજે 18 હજાર ફૂટ ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં 527 ભારતીયો જવાન શહીદ થયા. 1363 જવાન ઘાયલ થયા હતાં. ભારતે આ લડાઈ 84 દિવસમાં જીતી લીધી હતી.1999માં ભારત અને પાકિસ્તાન દ્વારા સમર્થિત ઘુસણખોરો વચ્ચે 19 વર્ષ અગાઉ 1999ની મે અને જૂન વચ્ચે કારગીલ યુદ્ધનું સંક્ષિપ્ત ઇતિહાસ છે.આ યુદ્ધમાં લાખ 50 હજાર ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતા, 300થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોજ 5,000થી વધારે બોમ્બ ભારત તરફથી રોજ ફાયર કરવામાં આવતા હતાં.
જે સ્થળોએ પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરીને ભારતીય જમીન ઉપર કબજો કર્યો હતો, તે દુર્ગમ સ્થળોએ ભારતના બહાદુર સૈનિકોએ ફરી ત્રિરંગો ફરકાવ્યો હતો. 60 દિવસથી વધુ ચાલેલી આ લડાઈને ઓપરેશન વિજય (Operation Vijay) નામ આપવામાં આવ્યું હતું.
- 1999માં પાકિસ્તાન સામે યુદ્ધ દરમિયાન જવાનોએ આપેલા બલિદાનને યાદમાં…. જય હિન્દ… કારગિલ વિજય દિવસ 2022!