ગત દિવસોમાં રાજયભરમાં ગ્રામપંચાયતની ચૂંટણીનો માહોલ પૂર્ણ થયા બાદ કમિટિની રચના થઈ ગઈ છે, જોકે નવનિયુક્ત સરપંચ પાંચ વર્ષ દરમિયાન ગામમાં કેવા વિકાસના કાર્યો કરશે તેની ગ્રામલોકો હરહંમેશ અપેક્ષા રાખતા હોય છે, ત્યારે થરાદ તાલુકાના દોલતપુરા- બુઢનપુર ગૃપ ગ્રામ પંચાયતમાં પાંચ વર્ષ દરમિયાન કામગીરી જેવી કે રોડ- રસ્તા, જાહેર શૌચાલય, ગટર લાઈન તેમજ ગામમાં કયાંય કચરો કે ગંદકી ન ફેલાય તે માટે ગ્રામજનોને અપીલ થકી સ્વચ્છ ભારત તંદુરસ્ત ભારત અભિયાન સાર્થક કરીશું તેમ નવનિયુક્ત સરપંચ શ્રી રતનશીભાઈ ભીલે જણાવ્યું હતું. જોકે સરપંચ પાંચ વર્ષ દરમિયાન વિકાસના કાર્યોને વધુ વેગવાન બનાવે તેવી ગ્રામજનોએ અપેક્ષા વ્યક્ત કરી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ