PMSAAએ કહ્યું – અમે પાકિસ્તાન એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનમાં પેટ્રોલિંગ કર્યું
પાક.ની એક જ શીપ હોવાથી વધુ બોટનું અપહરણ કરી ન શકી
પાકિસ્તાન મેરિટાઇમ સિક્યુરિટી એજન્સીએ કથિતપણે તેની જળસીમામાં માછીમારી બદલ ભારતના 31 માછીમારની ધરપકડ કરી છે.
પીએમએસએ(PMSAA)એ જણાવ્યું કે અમે પાકિસ્તાન એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનમાં પેટ્રોલિંગ વખતે આ કાર્યવાહી કરી છે. પાકિસ્તાની કાયદા અને યુએન કન્વેન્શન ઓન લૉ ઑફ ધ સી મુજબ કાયદાકીય કાર્યવાહી હેઠળ તમામ બોટ પણ કરાચી લઇ જવાઇ છે. જોકે, પાકિસ્તાનની નૌસેનાના શિપે ગેરકાયદે રીતે ભારતના 31 માછીમારની 5 બોટ સાથે ઝડપી લીધા છે. પાકિસ્તાન સમુદ્ર માર્ગે પણ આતંકીઓને ઘુસાડવાના સતત પ્રયાસ કરે છે, જ્યારે ભારતીય માછીમારોના પણ ગેરકાયદે અપહરણ કરે છે.