યુક્રેન દ્વારા પહેલીવાર મિસાઈલ છોડવામાં આવી

રશિયાએ હુમલો ઓછો કરતાં અને સૈનિકો પાછા ફરતા

0
673
મિસાઈલ છોડવામાં આવી

રશિયા-યુક્રેન યુદ્ધના ૩૫માં દિવસે રશિયાને વધુ એક આંચકો લાગ્યો છે. ખાર્કિવમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પુતિનના આઠમા કમાન્ડરનું પણ મોત થયુ છે. યુક્રેન સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની સેનાએ પુતિનની મોટરાઇઝ્‌ડ રાઇફલ બ્રિગેડના કમાન્ડર કર્નલ ડેનિસ કુરિલોને પણ મારી નાખ્યા છે. યુક્રેનની સેનાએ પણ કુરિલોની તસવીર રેડ ક્રોસ સાથે શેર કરી છે, જેથી તે તેના મૃત્યુની જાહેરાત કરી શકે. બ્રિટિશ મિલિટરી ઈન્ટેલિજન્સ અનુસાર, રશિયન સેનાના ઘણા એકમોને ભારે નુકસાન થયું છે, તેથી તેમને યુદ્ધના મેદાનમાંથી પરત કરવામાં આવી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને ઈસ્તાંબુલની બેઠકમાંથી સકારાત્મક સંકેતો મળ્યા છે,જાે કે રશિયન સેના પાછી ફરી રહી નથી, માનવામાં આવી રહ્યુ છે કે ફરીથી હુમલો કરી શકે તે માટે રશિયન સેના ફરીથી સંગઠિત થઈ રહી છે.

ઈસ્તાંબુલની બેઠકમાં રશિયાએ કિવ અને ચેર્નિહાઈવ પર હુમલા ઘટાડવાની શરત સ્વીકારી હતી, પરંતુ યુક્રેને તેને રશિયાની બીજી છેતરપિંડી ગણાવી છે. ઝેલેન્સકીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જાે દેશની એકતા અને સાર્વભૌમત્વને અસર ન થાય તો યુક્રેન યુદ્ધવિરામ માટે તૈયાર છે. તેણે કહ્યું છે કે રશિયન સેનાએ યુક્રેનના પ્રદેશમાંથી બહાર આવવું જાેઈએ. રશિયા તરફથી હુમલાઓ ઓછા થતા જ યુક્રેનિયન સૈનિકોએ યુદ્ધને તેજ બનાવ્યુ છે. ૩૫ દિવસના યુદ્ધમાં પ્રથમ વખત યુક્રેનની સેનાએ રશિયા પર મિસાઈલ છોડી છે. એવું માનવામાં આવે છે કે યુક્રેનની સેના દ્વારા છોડવામાં આવેલી આ મિસાઇલ રશિયાના બેલગોરોડમાં પડી હતી. એવું માનવામાં આવે છે કે આ મિસાઇલ દારૂગોળાના ડેપોમાં પડી હતી, જ્યાં રશિયન દારૂગોળો રાખવામાં આવ્યો હતો. તેથી મિસાઇલ પડતાની સાથે જ રશિયાના ગનપાઉડર વેરહાઉસમાં વિસ્ફોટ શરૂ થયો હતો.જે જગ્યાએ મિસાઈલ પડી તે યુક્રેનથી માત્ર ૧૨ માઈલ દૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here