રામપુરા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ કેવા-કેવા કરશે વિકાસના કામો…? જાણો અહેવાલમાં.
ચૂંટણીઓ બાદ પંચાયત ટીમની પ્રક્રિયા સમયાંતરે પૂર્ણ થઈ ગઈ હોઈ નવનિયુક્ત સરપંચ પાંચ વર્ષ દરમિયાન ગામમાં કેવા વિકાસના કાર્યો કરશે તેની ગ્રામલોકો હરહંમેશ અપેક્ષા રાખતા હોય છે, જોકે રામપુરા ગ્રામપંચાયતમાં સરપંચ પદે શ્રીમતી સીતાબેન ભાવપુરી ગૌસ્વામી જયારે ડેપ્યુટી સરપંચ પદે શ્રીમતી ઓખીબેન લવજીભાઈ પટેલ સહિત તમામ સભ્યોની નિયુક્તિ કરાઈ છે, ત્યારે થરાદ તાલુકાના રામપુરા ગ્રામ પંચાયતમાં પાંચ વર્ષ દરમિયાન કામગીરી જેવી કે રોડ- રસ્તા, જાહેર શૌચાલય, ગટર લાઈન તેમજ યુવાનો વ્યસનથી મુક્ત થાય તે માટે વ્યસ્ન છોડો અભિયાન અને ગામમાં કયાંય કચરો કે ગંદકી ન ફેલાય તે માટે ગ્રામજનોને અપીલ થકી સ્વચ્છ ભારત તંદુરસ્ત ભારત અભિયાન સાર્થક કરીશું તેમ ઓમપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું. જોકે સરપંચ પાંચ વર્ષ દરમિયાન વિકાસના કાર્યોને વધુ વેગવાન બનાવે તેવી રામપુરા ગામના ગ્રામજનોએ અપેક્ષા વ્યક્ત કરી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ