સાધના ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો અભિયાન હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા.

0
1045

સાધના ફાઉન્ડેશન છેલ્લા તેર વર્ષથી સાણંદ તથા તેની આસપાસના વિસ્તારમાં પર્યાવરણ અંગે જન જાગૃતિ લાવવા માટે પ્રયત્નશીલ છે. સાણંદએ નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણથી સૌથી નજીકનું શહેર છે. આ પરિસ્થિતિમાં સાણંદ તથા તેની આસપાસના વિસ્તારમાં “પક્ષી બચાવો અભિયાન” અંતર્ગત સાધના ફાઉન્ડેશન દ્વારા ૮૦૦ થી વધુ ઘાયલ પક્ષીઓ ને બચાવ્યા છે. આ કાર્યમાં સંસ્થાને સાણંદ પાંજરાપોળ અને વન વિભાગનું યોગદાન હંમેશા મળતું રહ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણના તેહવાર સમયે ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંસ્થાના ૩૫ જેટલા સ્વયં સેવકો દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે સાધના ફાઉન્ડેશન દ્વારા વન વિભાગના વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર, બોડકદેવની સાથે રહીને આ અભિયાન હાથ ધર્યું છે. સાધના ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. હેલ્પલાઈન નંબર – ૯૪૨૭૮૦૪૮૭૯, ૯૫૩૭૩૩૫૨૩૨, ૯૭૩૭૨૮૨૧૧૪, ૯૧૫૭૭૬૮૧૮૮ રાખવામાં આવેલ છે.

સાણંદ શહેર તથા તેની આસપાસના વિસ્તારમાં ઉતરાયણના તહેવાર દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ નંબર સંપર્ક કરવા અથવા સાણંદ પાંજરાપોળ ખાતે ઘાયલ પક્ષીને પોહચાડવાનું સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉત્તરાયણના તેહવાર દરમ્યાન વધારે સંખ્યામાં પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે તકેદારીના ભાગ રૂપે સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ના સમય દરમ્યાન પતંગ ન ચગાવવા તથા ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here