પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ પદે મહેન્દ્રસિંહ અટોદરિયાની વરણી કરાઈ
પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તા. ૨૩/૦૫/૨૦૨૨ ને સોમવારના રોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી.
જેમાં ઝોન 8 પ્રભારી ધર્મેશભાઇ મિસ્ત્રી, ઝોન 7 સહ પ્રભારી નીતિનભાઈ ઘેલાણી , જિલ્લા પ્રમુખ સુરત હકીમભાઈ વાના , જિલ્લા પ્રમુખ ભરૂચ અતુલભાઈ મૂલાની, સુરત જિલ્લા ઉપ પ્રમુખ વિનોદભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
પત્રકાર એકતા પરિષદની રૂપરેખા રજૂ કરતાં જિલ્લા પ્રમુખ હકિમભાઈ વાના એ જણાવ્યું હતું કે,ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.
હાજર ઉપસ્થિત મહાનુભવોએ સંગઠનમાં જોડાવાથી થતાં ફાયદાઓ અને સંગઠનની તાકાત વિશે વિસ્તારથી સમજૂતી આપી હતી. આજના સમયમાં સંગઠન શક્તિ એ જ સર્વોપરિ છે. જેથી વધુને વધુ પત્રકારો આપણા સંગઠનમાં જોડાય તે માટે પ્રેરિત કર્યા હતા.
માંગરોળ તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે શ્રી મહેન્દ્રસિંહ અટોદરિયા સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને સૌ કોઈએ હર્ષ અને તાળીઓ સાથે વધાવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે શ્રી દીપકભાઈ પુરોહિતની નિમણૂંક કરાઈ હતી. જ્યારે મહામંત્રીપદે સંતોશભાઈ મેસુરિયા સહમંત્રી તરીકે નલીનભાઇ ચૌધરી જ્યારે ખજાનચી તરીકે ગણપત ભાઇ ગામીત અને આઇટી સેલમાં સત્તાર ભાઈ શેખની નિમણૂંક કરાઈ હતી નવા વરાયેલા તમામ હોદેદારોએ એકમતે પત્રકાર એકતા પરિષદને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
પ્રદેશ આઇ.ટી.સેલ
સમીર સલીમભાઈ બાવાણી