સોયલા ગામ ખાતે ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાનું તેમજ પાણી ના કુંડાનું વિતરણ કરવા માં આવ્યું
સૌ પ્રથમ વાર સોયલા ગામ ખાતે વિશ્વ ચકલી દિવસ ૨૦ માર્ચના રોજ ચકલી બચાવો અભિયાન અંતર્ગત વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવા માં આવી,દિવસે ને દિવસે લુપ્ત થત્તી ચકલી ને બચવવા માટે આ ગરમી મા ચકલી ને આશરો મળે તે હેતુ થી ચકલી ના માળા (ચકલી ઘર ) તેમજ પક્ષી ને પીવાના પાણી ના કુંડા નું સોયલા ગ્રામપંચાયત તરફ થી સોયલા ગ્રામપંચાયત ખાતે તાલુકા સદસ્ય નરેશભાઈ પરમાર,સામાજિક કાર્યકર વિક્રમભાઈ પરમાર,સોયલા ગામ ના સરપંચ નીતાબેન વાઘેલા,ઉપ સરપંચ લાભુબેન વાઘેલા તથા પંચાયત સદસ્ય તમામ,તથા કિરણભાઈ વાઘેલા, ભયરામભાઇ વાઘેલા, પૂર્વ ઉપ સરપંચ ભરતભાઈ વાઘેલા,સોયલા ગ્રામ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગુલાબ બૌદ્ધ દ્રારા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ.